દેવ ઉઠી અગિયારસ:ભગવાન વિષ્ણુના આજે શાલીગ્રામ સ્વરૂપમાં તુલસી વિવાહ
આ દિવસથી તમામ પ્રકારના શુભ કાર્યોની શરૂઆત કરાઇ છે
- આ દિવસથી તમામ પ્રકારના શુભ કાર્યોની શરૂઆત કરાઇ છે તુલસી વિવાહની સાથે એક પૌરાણિક કથા પણ જોડાયેલી છે. ભગવાન વિષ્ણુને તુલસી અતિપ્રિય છે. એવું કહેવામાં આવે છે કે, ભગવાન વિષ્ણુ અષાઢ શુક્લ એકાદશીના રોજ ચાર મહિના માટે યોગ નિદ્રામાં જાય છે અને દેવઉઠી એકાદશી એટલે કે કારતક સુદ એકાદશીના રોજ જાગે છે. ત્યારબાદ ભગવાન વિષ્ણુ સૌથી પહેલા તુલસી સાથે વિવાહ કરે છે.
હિંદુ કેલેન્ડર મુજબ કારતક મહિનાના સુદ પક્ષની અગીયારસે દેવઊઠી અગિયારસનો વિશેષ દિવસ છે.
તેને દેવ પ્રબોધિની એકાદશી અને દેવોત્થાન અગિયારસ પણ કહેવામાં આવે છે. આ વખતે આ તહેવાર 23 નવેમ્બર એટલે કે આજે ઉજવવામાં આવશે.
આ દિવસે સૂર્યોદય પહેલા બ્રહ્મ મુહૂર્તમાં શંખ ફૂંકીને ભગવાન વિષ્ણુને જાગૃત કરવામાં આવશે.
દિવસભર ભગવાનની મહાપૂજા અને આરાધના થશે. સાંજે ભગવાન વિષ્ણુના શાલિગ્રામ સ્વરૂપમાં તુલસી વિવાહ થશે અને દીવાનું દાન કરવામાં આવશે.
પુરાણો અનુસાર, ભગવાન વિષ્ણુએ રાક્ષસ શંખાસુરનો વધ કર્યો હતો
Quite informative 🙏🏻